Tuesday, June 1, 2010

એમ મળવાનું હવે ક્યાં થાય છે?

એમ મળવાનું હવે ક્યાં થાય છે?
યાર, હળવાનું હવે ક્યાં થાય છે?

એક સાંજે આમ છૂટા થઇ ગયા
ને ઝગડવાનું હવે ક્યાં થાય છે?

રાહ જોતો હું કલાકો, યાદ છે
રાહ જોવાનું હવે ક્યાં થાય છે?

ચાંદની પીધા પછી આ હાલ છે
રોજ પીવાનું હવે ક્યાં થાય છે?

રાતભર એ ભીંજવી દેતી હતી
જો પલળવાનું હવે ક્યાં થાય છે?

તાપ એનો એટલો, બાળી મૂકે
બસ, સળગવાનું હવે ક્યાં થાય છે?

આખરે કાફર હતી એ છોકરી
આંખ લડવાનું હવે ક્યાં થાય છે?

હું જ શોધું છું મને આ શહેરમાં
શોધવાનું મન તને ક્યાં થાય છે?

Wednesday, May 26, 2010

જવાની ઝિંદાબાદ ઉર્ફે રૂમાની પ્રેમ - દિનેશ દેસાઈ



જવાની ઝિંદાબાદ ઉર્ફે રૂમાની પ્રેમ - દિનેશ દેસાઈ

આદમીની જિંદગીમાં જવાનીદીવાનીનું મહત્ત્વ નોખુંઅનોખું હોય છે. એમાંય જીવનના ૨૫ વર્ષનો આ તબક્કો રોમેન્ટિસિઝમથી ભરપૂર હોય છે. ‘શું તમે કોઈને કદી પ્રેમ કર્યો છે?’ અને ‘તમને પહેલી વાર કોઈના પ્રત્યે પ્રેમ ક્યારે જાગ્યો?’ પ્રેમાનંદ સ્વામીએ ગાયું છે કે, ‘સખી, પ્રેમી જાણે વાત પ્રીતની રે, બીજા જાણે શું એ રીતડી રે...’ ૨૫ વર્ષની ભરજુવાની એટલે જાણે આંબે આવ્યા મોર. મનનું પતંગિયું મનગમતી વ્યક્તિની નજીક રહેવા કેવું ઊડાઊડ કરતું હોય છે એ તો માંહી પડ્યા તે મહાસુખ માણે. એનું વર્ણન તો કઈ રીતે થાય? છતાં કવિતા અભિવ્યક્તિનું એક સબળ માધ્યમ હોઈને કેટલીક પ્રણયકાવ્યકૃતિઓ અહીં માણીએમમળાવીએ.
પ્રેમની સફળતા અને નિષ્ફળતાની ગાથાઓ ફૂલ થકી જેમ પર્ણલતાઓ લચી પડે એ રીતે કવિતામાં લચી પડતી મળી રહે છે. પ્રણયની વાત પણ નિરાળી હોય છે. કારણ વિના જ પ્રિય પાત્રની યાદ આવતાં હોઠો ઉપર સ્મિત આવી જાય અને કારણ વિના જ ઉદાસી આંખોમાં છવાઈ જાય એનું જ નામ પ્રેમ. વાત જ્યારે પહેલી વાર પ્રેમમાં પડવાની આવે ત્યારે મારા પ્રિય ગઝલકાર મનહર મોદીનો આ શેર યાદ આવ્યા વિના ન રહે.
‘દિલ તમોને આપતાં આપી દીધું,
પામતાં પાછું અમે માપી લીધું.
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં,
ચોતરફથી કેટલું કાપી લીધું ?’

ક્યારેક ક્યારેક પ્રણયમાં જવાનીનો જોશ સામા પાત્રના પ્રતિકૂળ પ્રતિસાદના કારણે સાવ ઠંડો પણ પડી જાય છે. એ અવસ્થાને ‘મરીઝ’ આ રીતે પેશ કરે છે.
‘લેવા ગયો જો પ્રેમ તો વ્યવહાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી અણસાર પણ ગયો.
રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.’
અહીં અમૃત ‘ઘાયલ’ પણ કેમ ન યાદ આવે? અમૃતથી હોઠ સૌના એંઠા કરી શકું છું એમ કહેતા આ ગઝલકાર એક ગઝલમાં પોતાનો મિજાજ આમ પેશ કરે છે.
‘કારણ વગર પ્રહાર કરે છે, કમાલ કરે છે,
ને પાછાં સારવાર કરે છે, કમાલ કરે છે.
બેઠો છે જાળ પાથરી ‘ઘાયલ’ સ્વયં ઉપર,
ખુદનો જ ખુદ શિકાર કરે છે, કમાલ કરે છે.’



ગુજરાતી કાવ્યબાનીમાં તરોતાજા શબ્દ બનીને એક નામ કાયમ સામે આવે છે, એ છે અંકિત ત્રિવેદી. આ કવિ કાવ્ય ખાતર કાવ્ય કરે છે. પ્રણયનાં ભીનાં સંવેદન અને સ્પંદનોને માસૂમી અને મુલાયમી સાથે લાડ લડાવતા કવિમિત્ર અંકિત એક ગઝલનો મત્લા આ રીતે બાંધીને મહેફિલનો માહોલ પણ બાંધે છે કે,
‘અહીંયાં ફર્યું જે રીતથી ત્યાં પણ ફર્યું હશે,
એકાદ પીછું યાદનું ત્યાં પણ ખર્યું હશે.’
ગુજરાતી કવિતાનો સબળ અને પ્રભાવક અવાજ એટલે સૌમ્ય જોશી. આ કવિએ યુવાનીના મિજાજને પકડીને બરાબર ગઝલમાં ઉતાર્યો છે. એક ગઝલમાં તેઓએ લખ્યું છે કે,
‘એ જ કિસ્સો, એ જ લોકો એ જ અધૂરાં સ્વપ્ન બે,
કેટલી ચીજોથી સાલી જિંદગી ટેવાઈ ગઈ.
આજ મારી કાયમી ભીનાશનું કારણ કહું?
એક નદી મારા સુધી આવી અને ફંટાઈ ગઈ.’
પ્રેમમાં તો રિસામણાં અને મનામણાંની મોસમ ચાલતી હોય છે. આવી જ મોસમને યાદ કરવાનું મન થાય, જ્યારે કૈલાસ પંડિત એક રમતિયાળ અને મસ્તીભરી ગઝલમાં પ્રેમમાં પડેલા યુવાનની વાતને વાચા આપે છે કે જે પોતાની પ્રિયતમાને સંબોધીને કહેતો હોય છે કે,
‘ઘડીમાં રિસાવું, ખરાં છો તમે,
ઘડીમાં મનાવું, ખરાં છો તમે.
ન આવો છો મળવા, ન ઘરમાં રહો છો,
અમારે ક્યાં જાવું, ખરાં છો તમે.’
તો, આ તરફ ગુજરાતી ગઝલમાં પ્રેમની નવી ઊંચાઈને હરદ્વાર ગોસ્વામીએ કંઈક આ રીતે વ્યક્ત કરી છે.
‘આવી ઊંચાઈ ના કદી આવે,
પ્રેમમાં કોઈએ પછાડ્યો છે.
શ્વાસ ફાગણ બનીને ફોરે છે,
રંગ કેવો તમે લગાડ્યો છે.’
છેલ્લે મારી જ એક ગઝલનો શેર કહીને યંગિસ્તાનના યુવાઓની પ્રણયદાસ્તાન પૂરી કરું. સાવ સરળ અને બોલચાલની ભાષામાં લખાયેલી આ વાતનો ભલા કોણ ઇન્કાર કરી શકે?
‘એમ મળવાનું હવે ક્યાં થાય છે?
યાર, હળવાનું હવે ક્યાં થાય છે?
આખરે કાફર હતી એ છોકરી,
આંખ લડવાનું હવે ક્યાં થાય છે?’




Monday, April 12, 2010

ભણતર, ગણતર કે ચણતર ?

અછાંદસ્ કાવ્ય


પંખીઓનો હવે વધી જશે કલશોર,
એમને હવે મળશે થોડી વધારે સ્પેસ.
એમને હવે છોડવી નહીં પડે અધવચ્ચેથી કોઈ ડાળ,
કિશોરવયનાં કલશોરને કોઈ વૃક્ષ આપશે નહીં જાકારો.
સાત કોઠા ભેદ્યા પછી આઠમો કોઠો પણ છે હવે તૈયાર,
ચણતરનો ભાર તો ખૂબ વર્ષોથી વેઠ્યો,
ભણતરનો માર જરા વેઠી લઈએ હવે,
‘ગણતર’ના કારણે મળ્યું છે આખું વિહંગ,
પછી તો આખી જિંદગીની છે નિરાંત.
ઉછીનું પીછું ને ઉછીનાં ટહુકા ક્યાં લગી આમતેમથી ઉઘરાવવા?
પંડે કરીને હવે કલરવ લઈ સામટો,
ઊડતાં રે’શું ને સાથે ગીતો’ય ગાશું,
ફેલાશું નીલગગનમાં ચારેકોર.

અછાંદસ્ કાવ્ય


ગુજરાતના વિહંગમાં શિક્ષણની ક્ષિતિજે એક નવો સૂરજ ઊગી રહ્યો છે ત્યારે,
આ સૂરજ બરાબર તપે, તાવે અને મધ્યાન્હે તપતો જ રહે એનો પહેરો ભરાય તો સારું.
હવે લાગે છે બાળશિક્ષણની ઊજળી છે આવતીકાલ,
અત્યાર સુધી તો ભણતર સામે હતા કેટલાંય સવાલ.
હવે આશા છે ભણતરને પાછી ફૂટશે નવી પાંખો,
આંખોમાં સાચવીને રાખેલાં શમણાંને મળશે આકાર.
કાગળ પર તો વર્ષોથી બનતી રહી છે યોજનાઓ,
અમને ખુદ બનાવવામાં ન આવે એની જોવાતી રાહ.
ચાની કિટલી ઉપર આમ તો ગળાતું હતું સૂકું બાળપણ,
શેરીઓમાં આમતેમ ફંગોળાતું હતું કાલુઘેલું શાણપણ.
મેઘધનુષને આંખોમાં આંજવાનો અમને છે અધિકાર,
ગણતરે આપ્યો છે ભણતરને એક નવો જ આકાર.
ભરપૂર વેઠ્યો છે આમતેમ રઝળીને ભણવા માટેનો વનવાસ,
હવે તો ધાર્યું નિશાન પાર પાડ્યો જ પાર.
પાર્થને કહો ચઢાવે બાણ,
હવે તો ભણવું એ જ કલ્યાણ,
હવે તો ભણવું એ જ કલ્યાણ.

સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિનો ધબકાર કાનજી ભૂટા બારોટ - દિનેશ દેસાઈ



સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિનો ધબકાર કાનજી ભૂટા બારોટ - દિનેશ દેસાઈ

‘‘કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કે’શું,
એટલું કે’તાં નહીં માનો તો ગોકૂળ છોડી દેશું.’’
આ કવિતનો ભાવ સખ્યભાવ છે. એમાં સામીપ્યનો સહવાસ છે. ભગવાન શ્રીકૃષ્ણને ‘કાનજી’ તો મા જશોદા કહેશે, પરંતુ ગોપગોવાળો તો એને ‘કાનુડો’ જ કહેવાના. આ અને આવાં તો સંખ્યાબંધ કવિત, લોકગીતો,કાવ્યો, દૂહાછંદ અને લોકવાર્તાઓ જેમના હોઠે અને હૈયે રમતી એવા શબ્દોના સ્વામી અને સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિનો ધબકાર એટલે કાનજી ભૂટા બારોટ.
કાનજી બાપુ એટલે સફેદ બાસ્તાં જેવાં વસ્ત્રો. માથે ફેંટો, ખભે ખેસ, અંગરખુ અને સૂરવાળ. ગળામાં માળા ને ત્વચા ફૂલગુલાબી. ડાલમથ્થું મુખમંડળ ને તેજસ્વી આંખો. અષાઢીલા મેઘ જેવો બુલંદ સ્વર અને અસામાન્ય નાદવૈભવ. અદ્વિતિય આરોહઅવરોહથી શબ્દોને અને કંઠને બેઉને જાણે રમાડી જાણે. એમના બુલંદ સ્વરને સથવારો હોય તો માત્ર એકતારી સિતારનો. ગામઠી સિતારના તાર ઉપર એમના ટેરવાંનખલી ફરે અને સિતાર ‘રણઝણ...રણઝણ...રણઝણ...’ કરવા માંડે ત્યારે આપોઆપ માહોલ બંધાઈ જતો. તેઓ લોકવાર્તા કહેવામાં એવા તો લીન બની ગયા હોય કે પછી એમને આસપાસનું ભાન પણ ન હોય. જાણે સમાધિમાં બેઠેલા જુનાગઢના જોગી.
લોકસાહિત્યનું દસ્તાવેજીકરણ કરીને એ વિસરાય એ પહેલાં લોકો સુધી પહોંચાડવામાં જેમ ઝવેરચંદ મેઘાણીની જોડ જડે એમ નથી. એવી જ રીતે લોકસાહિત્યને ‘ડાયરો’ના માધ્યમથી દેશદેશાવરમાં ગૂંજતું કરવામાં કાનજી ભૂટા બારોટનું પ્રદાન અવિસ્મરણીય છે. કાનજી બાપુની દેશી સિતાર સાથેની કહેણી અને લોકવાર્તાને દૂહાછંદ સાથે રજૂ કરવાની અદાછટાનો જોટો મળવો દુર્લભ છે. એમની આ કલાગત ઊંચાઈને આજ પર્યંત કોઈ આંબી શક્યું નથી.
હમણાં ‘શ્રી કાનજી ભૂટા બારોટ લોકકલા ફાઉન્ડેશન’ સંસ્થાના નેજા હેઠળ આ અમર કલાકારની સ્મૃતિમાં તા.૭ માર્ચ, ૨૦૧૦ના રવિવારે રાજકોટના હેમુ ગઢવી નાટ્યગૃહમાં એક સંગીતમય કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં કાનજી બાપુની જાણીતી લોકવાર્તા ‘જીથરો ભાભો’નું મંચન કલાકાર ભરત યાજ્ઞિકે રજૂ કર્યું. આ પ્રસંગે કાનજી બાપુની વાર્તાકળા અને બારોટ પરંપરાના સંશોધક ડો.કૌશિકરાય પંડ્યા સંપાદિત ‘કાનજીભાઈની વાતુ અને સંભારણાં’ પુસ્તકનું વિમોચન જાણીતા રામકથાકાર મોરારિ બાપુના હસ્તે કરવામાં આવ્યું.
ખુદ કાનજી બાપુ જ્યારે ‘જીથરો ભાભો’ની વાત માંડતા હોય ત્યારે ‘હફ કરું ને ડફ મરે...’ એમ માત્ર ૯ અક્ષર જ બોલે ત્યાં તો શ્રોતાજનોને જાણે ‘જીથરો ભાભો’ પ્રગટ થયા હોય એવું લાગે. શ્રોતાજનો સમક્ષ શબ્દચિત્ર પ્રસ્તુત કરવાની એમની અદ્ભૂત ફાવટ હતી. વાર્તાની સાથેસાથે દૂહા, છંદ, ગીતો, ભજનોની તેઓ રમઝટ બોલાવતા હોય એ માહોલની વાત જ નિરાળી હતી.
ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી અને કાનજી બાપુના દીકરા મનુભાઈ બારોટ પિતા સાથેનો એક યાદગાર પ્રસંગ વર્ણવતા કહે છે કે ‘મારા બાપુ સાથેની ઘણી બધી વાતો વિસરાય નહીં એવી છે. પંરતુ એમાં એક વેળાએ તેઓએ મને શીખ આપતા કહેલું કે ‘આપણાં યજમાન એ તો આપણાં રોટલાં છે. યજમાન પહેલાં, બીજું બધું પછી.’ વાત એમ બની હતી કે ૧૯૭૦ના અરસમાં બાપુ રતુભાઈ અદાણીના આમંત્રણને માન આપીને દિલ્હી કાર્યક્રમ આપવા ગયા હતા. તત્કાલીન વડાં પ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધી સમક્ષ બાપુ સાથે જયમલ્લ પરમાર, દિવાળીબેન ભીલ, પિંગળશીભાઈ ગઢવી અને બીજાં કલાકારોએ કાર્યક્રમ આપ્યો હતો. આ પછી તો રાષ્ટ્રપતિભવનમાંથી પણ રતુભાઈ ઉપર કહેણ આવ્યું કે સૌરાષ્ટ્રના કલાકારોને અહીં પણ બોલાવો. હવે બાપુએ પોરબંદર નજીકના રાણાવાવ ગામે રહેતા અમારા વહીવંચા બારોટ પરિવારના યજમાન બરડાના સિસોદિયા મેરસમાજના ગૃહસ્થની દીકરીના લગ્નમાં હાજરી આપવાનું અગાઉથી વચન આપી દીધું હતું. એક તરફ સામાન્ય સ્થિતિના ગૃહસ્થને આપેલું વચન પાળવાની ઉત્કટતા અને બીજી તરફ રાષ્ટ્રપતિભવનમાં કાર્યક્રમ આપવાનું કહેણ. આ બેમાંથી બાપુએ યજમાનને આપેલા વચનને પાળવાનું પસંદ કર્યું. એ વખતે મેં આમ કરવાનું કારણ પૂછતાં બાપુએ કહ્યું હતું કે ‘યજમાન એ જ આપણા માટે રાષ્ટ્રપતિ. એ જ આપણો રોટલો છે.’



કાનજી બાપુનો જન્મ ૧૯૧૯માં આસો સુદ એકમના દિવસે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ટિંબલા ગામે વહીવંચા બારોટ જ્ઞાતિના પરિવારમાં થયો. માનું નામ અમરબાઈ અને પિતાનું નામ ભૂટાભાઈ ગેલાભાઈ બારોટ. ભૂટાભાઈ ખુદ એક ઉત્તમ વાર્તાકાર અને હાસ્ય, અદ્ભૂત તથા વીરરસના સર્જક. કાનજીબાપુને આમ લોકસાહિત્ય અને લોકવાર્તાઓનો કસબ જાણે વારસામાં જ મળ્યો. જો કે પિતાનું તો પોતાની બાળ વયે જ અવસાન થયું. પરંતુ તેમના વાર્તાગુરુ દાદાના મોટા ભાઈ સૂરાભાઈ બારોટ. મેઘાણીને સોરઠી સંતોની વાર્તાઓ કહેનાર સૂરાભાઈ પોતે પણ એ સમયના જાણીતા વાર્તાકથક. કાર્યક્રમોમાં કાનજી બાપુની વિશિષ્ટતા એ રહેતી કે તેઓ એક વાત રજૂ કરતી વેળા બીજી વાતો કરીકરીને ફરી મૂળ વાર્તા ઉપર આવે એમ છતાં ભાવકને ક્યાંય રસક્ષતિ થયાનું અનુભવાય નહીં. ડાયરામાં બેઠેલા ભાવકો કલાકોના કલાકો સુધી એમને બસ સાંભળ્યા જ કરે.
જૂની વાર્તાકહેણીની પંરપરા અનુસાર યજમાનની ડેલીએ કે પછી ચોરા ઉપર બેસીને અને ડાયરાઓમાં લોકવાર્તાકથનની પરંપરા તેઓએ છેવટ સુધી જાળવી. કવિત અને કથકની જેમ વાર્તા કહેવાની એટલું જ નહીં તેઓ વાર્તાલેખન પણ કરતા. તેમની ૧૦૦ જેટલી વાર્તાઓ તો એ સમયના પ્રતિષ્ઠિત સાહિત્યસામયિક ‘ઊર્મિનવરચના’માં પ્રગટ થયેલી છે. આ ઉપરાંત પણ એમના સમયના સામયિકોમાં વાર્તાપ્રકાશન થયું. વાર્તા, લોકવાર્તા, પ્રસંગો, પ્રવાસ દરમિયાનનાં ટાંચણો અને સ્વરચિત કાવ્યોના મળીને એમના ૪ પુસ્તક પ્રગટ થયા છે.
બાપુએ આકાશવાણી અને દૂરદર્શનના રાજકોટ, ભૂજ, અમદાવાદ અને મુંબઈ વગેરે કેન્દ્રો ઉપર પણ કાર્યક્રમો આપ્યાં છે, જે દ્રશ્યશ્રાવ્યરૂપે સચવાયેલાં છે. કવિવર ઉમાશંકર જોશીએ જુનાગઢમાં યોજાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાં કાનજી બાપુને સાંભળ્યા પછી તેઓને લોકસાહિત્ય અને શિષ્ટસાહિત્યને જોડતી કડી તરીકે ગણાવ્યા. આ સંદર્ભમાં રામકથાકાર મોરારિ બાપુએ કાનજી બાપુને ‘વડલા’ની ઉપમા આપી છે.
કેન્દ્ર સરકારની સંગીત, નૃત્ય, નાટ્ય અકાદમી તરફથી ૧૯૮૮નો લોકકલા ક્ષેત્રનો સર્વોચ્ચ રાષ્ટ્રીય એવોર્ડ રાષ્ટ્રપતિ આર.વેંકટરામનના હસ્તે એનાયત કરવામાં આવ્યો. આ વખતે કાનજી બાપુએ કહેલું કે ‘અત્યારની બદલાયેલી પરિસ્થિતિમાં ડેલીઓ, ચોરાચોક, રાજદરબાર કે પ્રતિષ્ઠિત ગૃહસ્થોનાં ઘર, જ્યાં લોકવાર્તા રસવંતી શૈલીમાં પાયાનું સમાજશિક્ષણનું કાર્ય કરતી ત્યાં આજે સસ્તી મનોરંજન પ્રવૃત્તિ જામી પડી છે. આથી લોકવાર્તાની જ્યોત ઝાંખી પડી ગઈ છે. એટલે હવે નવાં ક્ષેત્રો સરકાર અને પ્રજા ઉભાં કરે તો જ એ કલા કદાચ જીવતી રહે.’ તા.૨૮૯૧૯૯૦ના રોજ ૭૧ વર્ષની વયે હૃદયરોગના કારણે તેઓનું નિધન થયું. આ જાણીને તેમનો બહોળો ચાહકસમુદાય પણ ત્યારે હૃદયનો એક ધબકાર ચૂકી ગયો હશે. છેલ્લે કાનજી બાપુની એક કાવ્યરચના માણીએઃ
‘તૂટ્યા તંબુર તાર, ભણકારા ભવભવ રહ્યા,
સજણ તમારી ખાક પર, ઝાઝા હજો જુહાર.’



dosti........

आपसे दोस्ती हम यूं ही नही कर बैठे,
क्या करे हमारी पसंद ही कुछ "ख़ास" है. .
चिरागों से अगर अँधेरा दूर होता,
तोह चाँद की चाहत किसे होती.
कट सकती अगर अकेले जिन्दगी,
तो दोस्ती नाम की चीज़ ही न होती.
कभी किसी से जीकर ऐ जुदाई मत करना,
इस दोस्त से कभी रुसवाई मत करना,
जब दिल उब जाए हमसे तोह बता देना,
न बताकर बेवफाई मत करना
आपसे दोस्ती हम यूं ही नही कर बैठे,
क्या करे हमारी पसंद ही कुछ "ख़ास" है. .
चिरागों से अगर अँधेरा दूर होता,
तोह चाँद की चाहत किसे होती.
कट सकती अगर अकेले जिन्दगी,
तो दोस्ती नाम की चीज़ ही न होती.
कभी किसी से जीकर ऐ जुदाई मत करना,
इस दोस्त से कभी रुसवाई मत करना,
जब दिल उब जाए हमसे तोह बता देना,
न बताकर बेवफाई मत करना
If You Love Sum1 Then Remember...... Very often when we meet sum1, he or she belongs to sum1 else..... Its so funny how we set qualifications for the right person to love while at the back of our minds we know that the person we truely love will always be an expectation!!!! There would come a time when we have to stop loving sum1 not bcoz that person started hating us but bcoz we find that they'd be happy if we let them go. You will know you really love sum1 when u want him to be happy even if their happiness means you're not a part of it!!!! If sum1 comes into your life and becomes a part of you, but for some reasons he couldn't stay... DONT CRY TOO MUCH!!!!! Just be glad your paths crossed and somehow he made you happy even for a while. There are a few things that we never want to let go; Some people you never want to leave behind; But keep in mind that letting go is not the end of the world but rather it is the BEGINNING OF A NEW LIFE!!!! Just bcoz sum1 doesn't love you the way you want him or her to doesn't mean they don't love you... REMEMBER.... The best relationship is when your love for each other is greater than your need for each other. Giving sum1 all your love is not an assurance that he or she will love you back... Don't expect love in return, wait for it to grow in his or her heart. If it doesn't, be content it grows in you. It takes a minute to have a crush on sum1.... An hour to like sum1.... A day to fall in love with sum1.... But it takes a lifetime to forget sum1 you have grown to love!!!! And finally REMEMBER.... Love is rather complicated, but i'll tell u this, "THE SECOND YOU ARE WILLING TO MAKE YOURSELF MISERABLE TO MAKE SOMEONE ELSE HAPPY THAT'S LOVE!!!!"